દાહોદના ફતેપુરામાં કરોડીયા પૂર્વ ગામે કૂવામાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચ્યો
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે એક યુવકનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
માહિતી અનુસાર, ગામના રહેવાસી અશ્વિનભાઈ બારીયા ગઈ કાલથી ઘર નહીં આવ્યા હતા. પરિવાર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગામ નજીક આવેલા એક કૂવામાંથી 23 વર્ષીય અશ્વિનભાઈ બારીયાનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.
યુવકનું મૃત્યુ અકસ્માતે થયું છે, આત્મહત્યાનો મામલો છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે.
આ ઘટનાથ�
Dohad, Dahod | Jun 7, 2026