લીંબડી ચુડા રોડ પર કરમડ ના પાટિયા પાસે આવેલા ગુરૂકુળ ખાતે 22 ફેબ્રુઆરી સવારે સર્વજ્ઞાતિય ચોથો સમુહલગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરૂકુળ સંસ્થા ના સ્થાનક શ્રીજી સ્વરૂપ સ્વામી ના સાનિધ્યમાં 51 જેટલા નવદંપતિ યુગલો એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમુહલગ્નોત્સવ ના દાતાઓ દ્વારા નવદંપતિ ઓ ને જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ કરિયાવર માં ભેટ આપી હતી.