ઘોઘંબા: ઘોઘંબા પંથકમાં મધરાતથી આભ ફાટ્યું: અનેક પુલો પાણીમાં ગરકાવ થયા બાદ બપોરે જનજીવન પૂર્વવત થયું
ઘોઘંબા તાલુકામાં મધરાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ઘોઘંબા-હાલોલ માર્ગ પર આવેલ કંકોડાકોઈ બ્રિજ સહિત અન્ય નીચાણવાળા પુલો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ ઉપરાંત, કણબી પાલ્લી અને મઠ જેકનપરા પાસે કરાડ નદીના બ્રિજ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતાં નોકરીયાત વર્ગ અને પશુપાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી અને તેમણે લાંબો વૈકલ્પિક માર્ગ લેવો પડ્યો હતો. જોકે, વરસાદ બંધ થતાં બપોર બાદ નદી અને બ્રિજ પરથી