ગાંધીનગર: ગાંધીનગરમાં 200 સરકારી-અર્ધસરકારી સંસ્થાઓના આવાસોની મુદત પૂરી, ભાડા વસૂલાત માટે કાર્યવાહી શરૂ
ગાંધીનગરમાં સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓને ફાળવવામાં આવેલા આવાસોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા વિવિધ બોર્ડ-નિગમ અને સંસ્થાઓને ફાળવેલા લગભગ 200 આવાસોની મુદત 30 જૂન 2023ના રોજ પૂરી થઈ ગઈ છે, જેને વધારવામાં આવી નથી. આવાસોમાં એરફોર્સ સેક્ટર-9, કેન્દ્રીય વિદ્યાલય, બીએસએનએલ, બેંક ઓફ બરોડા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી), ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, વિમા નિગમ, સંસ્થાઓનો સમાવેશ થાય છે.