સુરતના કતારગામ ઝોન હેઠળ આવેલા નાસિર નગર વિસ્તારમાં થયેલી તોડફોડની ઘટનાએ સમગ્ર શહેરમાં ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સ્થાનિક સ્તરે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સુરત મહાનગર પાલિકા (SMC)એ આ ડિમોલેશનમાં પોતાની કોઈ સત્તાવાર ટીમ સામેલ ન હોવાનું જણાવ્યું છે.
જો ખરેખર SMCની કોઈ ટીમ આ કામગીરીમાં સામેલ નહોતી, તો પછી નાસિર નગરમાં લોકોના મકાનો અને મિલકતો પર તોડફોડ ચલાવવાનો અધિકાર કોને આપ્યો?
શું સુરત શહેરમાં હવે કોઈપણ વ્યક્તિ સરકારી અધિકારીનો દેખાવ કરીને, SMCના યુનિફોર્મ પહેરીને અને હથિયારોના જોરે ડિમોલેશન કરી શકે છે?
#Surat #NasirNagar #Katargam #SMC #DemolitionCase #SuratNews #GujaratNews #BreakingNews #LocalNews #LatestNews #HotlineNews
Udhna, Surat | Jun 3, 2026