ફરિયાદી નારાણભાઈ એ જણાવ્યું હતું કે તેમના બે પુત્ર કિરણ અને સુરેશ તા.15/2 નુ સવારે મેવાસા રહેતી બહેનના ઘરેથી બાઇક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ ચિત્રોડ પાસે આવેલી સોલાર કંપની સામે પહોંચ્યા ત્યારે રિવર્સમાં લઇ રહેલા જીપના ચાલકે બાઇક અડફેટે લેતાં કીરણને માથા, કપાળ અને પેટના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થયા હતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.