માંડવી: શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ – મારુતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ, 150 જેટલા યાત્રાળુઓ જોડાયા
Mandvi, Kutch | Apr 3, 2026 શિવનગર મસ્કાથી શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ અને મારુતિ મહોત્સવ અંતર્ગત ભવ્ય યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પવિત્ર પ્રસંગના મુખ્ય યજમાન તરીકે શ્રી રજનીકાંતભાઈ રામજી મહેતા પરિવાર (ઘાટકોપર, મુંબઈ) સેવા આપી રહ્યા છે, જ્યારે કથાના સંચાલક તરીકે શ્રી દિનેશભાઈ નાગુ કાર્યરત છે. આ રામકથાનું શ્રવણ કરવા માટે કચ્છ અને મુંબઈમાંથી મળીને લગભગ 150 જેટલા યાત્રાળુઓ જોડાયા છે. મુંબઈમાંથી શ્રી હસમુખભાઈ મેઘજી, શ્રી સુરેશભાઈ રાજગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.