માંડવી: માંડવીથી બાબા અમરનાથ ના દર્શન અર્થે યાત્રિકો રવાના થયા
Mandvi, Kutch | Jul 9, 2026 માંડવીથી બાબા અમરનાથ યાત્રા માટે નીકળેલી બસને હિન્દુ યુવા સંગઠન ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાના હસ્તે નારિયેળ વધેરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. હર હર મહાદેવના જયઘોષ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં યાત્રીઓની યાત્રા મંગલમય અને સુખદ રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, કારોબારી ચેરમેન શ્રી વિજયભાઈ ગઢવી, મંત્રી શ્રી લાંતિકભાઈ શાહ સહિત મહાદેવના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.