કરજણ: કણભા ગામે કરજણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાઇ.
26 જુલાઈ ના રોજ કારગીલનું યુદ્ધ થયું હતું.જેને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે આજે બપોરે કરજણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કણભા ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ મશાલ રેલીમાં ગ્રામજનો,કરજણ તાલુકા ભાજપ યુવા મોરચાના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયાં હતાં.