સાવલી: પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત, બાજરીના પાકને વ્યાપક નુકસાન
સાવલી: સમગ્ર પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે તેમજ મકાનોના પતરા ઉડતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, સાથે સાથે બાજરીના ઉભા પાક ભારે પવનના કારણે આડા પડી જતાં ખુડુતોને પણ વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે