શહેરા: સાત દિવસથી લાપતા બાહી ગામના સુરેન્દ્રસિંહની લાશ કુણ નદીના પટમાંથી મળી આવતા પરિવારમાં સહિત બાહી ગામમાં શોકની લહેર પ્રસરી
શહેરા તાલુકાના બાહી ગામના ટેકરા ફળિયામાં રહેતા સુરેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર (ઉંમર વર્ષ ૪૭) ગત સાત દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયા હતા. પરિવારજનોએ તેમની આસપાસના ગામોમાં અને સગા-સંબંધીઓને ત્યાં ઘણી શોધખોળ કરી હતી, પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે સાતમા દિવસે કુણ નદીના પટમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ પાણીમાં તરતી હોવાની ખબર વા