ચુડા શહેર અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોને હરિયાળુ બનાવવા સદભાવના ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા અંદાજે 2000 જેટલા વૃક્ષો નુ વાવેતર કરવામાં આવશે. ચુડા રેલ્વે સ્ટેશન, લાલીયાદ, લીંબડી રાણપુર ત્રિકોણ, ચોકડી તથા વસ્તડી સહિત ના ગામડાઓમાં આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ચુડા ના વતની અને હાલ મુંબઈ રહેતા દાતાઓ એ એક વૃક્ષ ના વાવેતર અને ઉછેર માટે રૂપિયા 3000 નું અનુદાન આપ્યું છે. આ વૃક્ષો ના જતન ની સદભાવના ટ્રસ્ટે જવાબદારી લીધી છે.