અમદાવાદ શહેર: રાણીપમાં પોલીસ કર્મી દ્વારા સર્જેલા અકસ્માત કેસમાં ઇજાગ્રસ્ત પોલીસકર્મીનું મોત, પિતાએ કરી ન્યાયની માંગ
રાણીપ બકરા મંડી હિટ એન્ડ રન કેસમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મીનું મોત થયું છે. એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજય અસારીનુ સારવાર દરમિયાન શુક્રવારે મોત થયું છે. પરિવારે યુવરાજસિંહ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મૃત્યુ પામેલા પોલીસકર્મીના પિતા વસંત અસારીએ નિવેદન આપ્યું હતું.