નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ,દાહોદ ખાતે 'સ્પોર્ટ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ 'યોજાયો
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે કૉલેજના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા 'સ્પોર્ટ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ.બી.આર.બોદર તથા વાઈસ પ્રિન્સિપાલ ડૉ.હરેશ કે.પંચાલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમમાં કૉલેજના આચાર્ય ડૉ.બી.આર.બોદર ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માનવ જીવનમાં રમતગમત અને શિસ્તનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી કઈ રીતે બનાવી શકાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્પોર્ટ્સ કમિટીના કો-ઓર્ડિનેટર પ્રા.કૌશિક ડામોરે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કક્ષાએ યોજાતી વિવિધ રમતો અને તેમાં ભાગ લેવાની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે કમિટીના સભ્ય ડૉ.એ.
Dohad, Dahod | Jul 28, 2026