ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં વિકાસના નામે વર્ષોથી રહેતા વાલ્મિકી સમાજના લોકોના મકાનો તોડવાની નોટિસ અપાતા વિરોધ ફાટી નીકળ્યો છે. બહુજન આર્મીના નેતા લખન ધુવાની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરાઈ છે કે વૈકલ્પિક આવાસ આપ્યા વગર દબાણ હટાવવાની કામગીરી અમાનવીય છે. જો યોગ્ય ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારો હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.