રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના મોટા શહેરોમાં 'હું નથુરામ' નાટક સામે વિરોધ પ્રદર્શનો થયા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાની પ્રતિકિ્રયા આપી હતી.અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "આ ગાંધીનું ગુજરાત છે. આપણે ગૌરવ લઈએ છીએ કે સત્ય, પ્રેમ અને| અહિંસાના માર્ગે ચાલવાનો જે પથ ગાંધીજીએ બતાવ્યો,] તેની પર માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ આખું વિશ્વ ચાલવા તત્પર છે. વિશ્વભરના લોકો ગાંધીજીની પ્રતિમાઓ મૂકે છે.