ઘોઘંબા: ધનેશ્વર ગામે તળાવના પાળનું કામ શરૂ,કરોડોના ખર્ચે સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી તેજ
ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે સિંચાઈ વિભાગ દ્વારા તળાવના પાળને મજબૂત બનાવવાનું કામ શરૂ થયું છે. કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલી આ કામગીરીમાં ભારે મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુણવત્તા જાળવવા તાલુકા પંચાયત સદસ્ય મનુભાઈ રાઠવા અને ડેપ્યુટી સરપંચ સ્થળ પર નિરીક્ષણ કરી રહ્યા છે. કામ પૂર્ણ થયા બાદ તળાવની પાણી સંગ્રહ ક્ષમતા વધશે, જે ખેડૂતો અને પશુપાલકો માટે લાભદાયક બની ગામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.