આયુર્વેદ સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ વિના મૂલ્યે વરવાળા મુકામે શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત શ્રી વરવાળા ટી. બી. સેનેટોરિયમ સંચાલિત,શ્રી શંકરચાર્ય જનરલ નિઃશુલ્ક આયુર્વેદ ઔષધાલયનો ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આયુર્વેદ સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ..
જામનગરના પ્રખ્યાત વૈદ્યો અને ડૉક્ટરો દ્વારા શરદી, ઉધરસ, દમ, શ્વાસ વગેરે કફના રોગો, એસીડીટી વગેરે પેટ-પાચનતંત્રને લગતા રોગો, તેમજ સંધીવા, કમરનો દુઃખાવો વગેરે જેવા વાયુના સાંધાના રોગો, સ્ત્રીઓને તમામ પ્રકારના રોગો, બાળકોના રોગો અને ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર, વધારે વજન, ચરબીની બિમારી તેમજ આંખ, કાન-નાક-ગળા, દાંતના રોગો, ચામડીના રોગો, હૃદય રોગ, હરસ, મસા, ભગંદર, ફીશર વગેરે જેવા નવા-જુના તમામ પ્રકારના દર્દીઓને "વિના મૂલ્યે" નિદાન–દવા-સારવાર.
તારીખ : ૦૮-૦૮-૨૦૨૬, શનિવાર , સમય : સવારના ૧૦:૦૦ થી બપોરના ૧:૦૦ સુધી સ્થળ : ટી. બી. સેનેટોરિયમ બિલ્ડિંગ, વરવાળા જિ. દેવભૂમિ દ્વારકા...
........
દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો અને માહિતી આપના મોબાઇલ સુધી પહોંચાડવા માટે અમારા પેજને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.
Dwarka Up Date@9429569848....