મૃત્યુ બાદ પણ જીવંત રહેશે જીગ્નેશભાઈ,અંગદાનથી અનેક જીંદગીઓને મળશે નવું જીવન
ભુજની કે.કે. પટેલ હોસ્પિટલ ખાતે 40 વર્ષીય જીગ્નેશભાઈ યાદવ બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કિડની અને લિવરનું અંગદાન કરવાનો નિર્ણય લીધો છે.અંગોને આજે સાંજે કે.કે. પટેલ હોસ્પિટલથી ભુજ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર મારફતે પહોંચાડવામાં આવ્યા , જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલી શકાય.આ માનવતાભર્યો નિર્ણય અનેક લોકોને નવું જીવન આપશે અને સમાજ માટે પ્રેરણારૂપ બનશે.
#kutch #angdan #kutchdiaries #branded
Bhuj, Kutch | Aug 7, 2026