માંડવી: ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે સૌને જોડાવા આહ્વાન કરાયું
Mandvi, Kutch | Apr 18, 2026 માંડવી: ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જોશી દ્વારા સર્વ સમાજના લોકોને ઉજવણીમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે ભગવાન પરશુરામ જયંતી માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સમાજને એકતા અને સંસ્કારોથી જોડવાનો અવસર છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે.