ગારિયાધાર: “ગારીયાધાર આજે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું!”
“ગારીયાધાર આજે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું!” વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગારીયાધાર શહેરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ. ઢોલ-નગારાના તાલ, પરંપરાગત વેશભૂષા અને મોટી સંખ્યામાં સમાજના લોકોની ઉપસ્થિતિએ શહેરમાં અનોખો માહોલ સર્જ્યો. એકતા… સંસ્કૃતિ… અને અસ્તિત્વનો સંદેશ! ગારીયાધારના રસ્તાઓ પર ગુંજ્યો આદિવાસી સમાજની એકતાનો અવાજ