લખતર ના કળમ ગામ ના તળાવ માં ખારાઘોઢા ગામનો સુભાષ રાજેશભાઈ ઓગણીયા હાલ મુંબઈના મલાડમાં રહે છે. લખતરના કળમ ગામે રહેતા તેના મામાના દિકરા જયેશ વસંતભાઈ વિરમગામીયાના તા. ૨૬મીએ લગ્ન હતા. ત્યારે તે મુંબઈથી લગ્નમાં હાજરી આપવા કળમ આવ્યો હતો. બપોરે ભોજન સમારંભ બાદ તે કળમ ના તળાવ વમાં ન્હાવા ગયો હતો. અચાનક તળાવના ઉંડા પાણીમાં ડુબવા લાગ્યો હતો. આથી સ્થાનીક તરવૈયાઓને જાણ થતા તેઓ દોડી ગયા હતા. ને યુવક બહાર કાઢી સરકારી દવાખાને લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો