માંડવી: માંડવીમાં અપૂરતા વીજ પુરવઠા સામે રહીશોમાં રોષ pgvcl કચેરીએ #આવેદન આપી રજુવાત કરાઈ
Mandvi, Kutch | Jun 30, 2026 માંડવીના પૂનમ નગર સહિત વિવિધ સોસાયટીઓના રહીશોએ અપૂરતા વીજ પુરવઠા, વારંવાર વીજળી ખોરવાવા અને લો-વોલ્ટેજની સમસ્યાને લઈને PGVCLની માંડવી કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. ઉનાળાની ગરમીમાં બાળકો, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું જણાવી તાત્કાલિક નિયમિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.