ઘોઘંબા: જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે નવું સોપાન: સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર દ્વારા 'ભાગ્યોદય એડવાન્સ કેર હોસ્પિટલ'નું ભૂમિપૂજન કરાયુ
ગોધરા નજીક આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા માટે ‘ભાગ્યોદય એડવાન્સ કેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’નું ભૂમિપૂજન રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું. બાયપાસ રોડ પર કંકુથાંભલા ચોકડી પાસે બનનાર આ અદ્યતન હોસ્પિટલ સમગ્ર પંચમહાલ જિલ્લા માટે લાભદાયક બનશે. અહીં સુપર સ્પેશિયાલિટી સારવારની સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેથી લોકોને મોટા શહેરોમાં જવાનું ટળશે. પ્રસંગે સાંસદે જણાવ્યું કે સમાજના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ થયો છે અને ભવિષ્યમાં આધુનિક ટેકનોલોજ