ભુજના લાખોંદમાં ‘હિન્દુ સંમેલન પદધર મંડળ’ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન ભુજ: આગામી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ લાખોંદની આહિર સમાજવાડી ખાતે હિન્દુ સંમેલન યોજાશે. ‘સેવા, સંસ્કાર અને સંગઠન’ના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં ગોમતી માતાજીના આશીર્વચન અને મુખ્ય વક્તા વેલજીભાઈ વરચંદનું ઉદબોધન રહેશે. પદધર મંડળ દ્વારા જાહેર જનતાને સહપરિવાર ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.