સોજીત્રા વિધાનસભાના સોજીત્રા તાલુકાના મેઘલપુર ગામે નવનિર્માણ પામનાર મહાકાળી માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સોજીત્રા તાલુકા સંગઠન પ્રમુખશ્રી બળદેવભાઈ પરમાર,જીલ્લા પંચાયત સભ્યશ્રી રમેશભાઈ રાઠોડ,સોજીત્રા એ.પી.એમ.સી ચેરમેનશ્રી છત્રસિંહ જાદવ,આણંદ જીલ્લા સહકારી સંઘના ચેરમેનશ્રી રજનીકાંતભાઈ પટેલ,ગામના સરપંચશ્રી સંજયભાઈ જાદવ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.