ઘોઘા: ઘોઘા તાલુકાના મોરચંદ ગામે યુવકની કરપીણ હત્યા
ઘોઘા તાલુકાના મોરચંદ ગામે યુવકની કરપીણ હત્યા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના ૩૭ વર્ષીય ડ્રાઈવર ઘુઘાભાઇ ઉર્ફે રાજુભાઇ વાલજીભાઈ ગઢાદરા પર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૨:૩૦ વાગ્યે મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો થયો હતો. ફરિયાદી જ્યારે પોતાનો છ વ્હીલ ટ્રક લઈને રેતી ભરવા લાખાણકા તરફ જઈ રહ્યા હતા, ત્યારે બે મોટરસાયકલ પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેમને આંતરી રેતીના ભાવ બાબતે બોલાચાલી કરી હતી. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ફરિયાદીને ટ્રકમાંથ