જેસર: જેસર તાલુકાના ઉગલવાણ ગામમાં રસ્તાની કામગીરી ચાલી રહી છે.
જેસર તાલુકાના ઉગલવાણ ગામમાં રસ્તાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાવાને કારણે સ્થાનિક ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના મતે, ખાસ કરીને બે-વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય પણ વધ્યો છે. ગ્રામજનોએ સંબંધિત તંત્ર સમક્ષ પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવા અને રસ્તાને અવરજવર માટે સુરક્ષિત