જેસર તાલુકાના બિલા ગામ ખાતે ધાર્મિક ભાવના અને ઉમંગભેર માહોલ વચ્ચે નવી મસ્જિદનું લોકાર્પણ કરવામાં આવ્યું. પીરે તરીકત સરકાર સૈયદ અહેમદ મુનીર બાપુ ના હસ્તે મસ્જિદે નફીસા નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પવિત્ર પ્રસંગે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દુઆ, તિલાવત અને ધર્મસભા યોજાઈ હતી. ગામમાં આ નવી મસ્જિદનું નિર્માણ થતા સ્થાનિકોમાં આનંદ અને ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો. ગામજનો અને આગેવાનો દ્વારા મહેમાનોનું સ્વાગત કરી