જેસર તાલુકાના અયાવેજ – ૧ ગામ ખાતે સ્થિત અજેશ્વર મહાદેવ મંદિર નો સાતમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે વહેલી સવારે મહાદેવજીની વિશેષ પૂજા-અર્ચના, અભિષેક અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવથી હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધર્મસભા, ભજન-કીર્તન તેમજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્