સોમનાથ મંદિર ખાતે ૧૨મા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી થઈ
નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરાયો
ઘૂઘવતા અરબી સમુદ્રના કિનારે આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પટાંગણમાં નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
દરિયાના ઊછળતા મોજાના રવ વચ્ચે સવારના આહલાદક વાતાવરણમાં 'યોગા ફોર હેલ્ધી એજીંગ' ની થીમ સાથે યોજાયેલા યોગાભ્યાસથી સોમનાથ પટાંગણ યોગમય બન્યું હતું.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદિશભાઈ મકવાણાએ આ અવસરે જણાવ્યું હતું કે, યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ, વ્યાયામ અને આસન ન બની રહેતા મનુષ્યજીવનના સમગ્ર જીવનદર્શનને જોડતો એક ભાગ બની રહે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ અને ૧૨મા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી એકસાથે થઈ રહી છે. તે એક સુભગ સમન્વય છે.
'સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' ની થી�