ગોધરા: તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪મી ડીસેમ્બરના રોજ યોજાશે
ગોધરા (શહેર) તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૧૨/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા સેવા સદન, ગોધરા ખાતે યોજાશે. આ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો કરતી અરજી સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તા.૧૦/૧૨/૨૦૨૫ સુધીમાં મામલતદાર કચેરી, ગોધરા (શહેર) ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી