ગારિયાધાર: ગારિયાધારમાં પવિત્ર ઈદ-ઉલ-અઝહાનો તહેવાર ધાર્મિક ભાવના અને ઉત્સાહભેર ઉજવાયો.
ગારિયાધારમાં પવિત્ર ઈદ-ઉલ-અઝહાનો તહેવાર ધાર્મિક ભાવના અને ઉત્સાહભેર ઉજવાયો. વહેલી સવારથી જ મુસ્લિમ સમાજના લોકો ઈદગાહ અને મસ્જિદોમાં મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, જ્યાં ખાસ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” પાઠવતા સૌહાર્દ અને ભાઈચારાના દૃશ્યો સર્જાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને બાળકોમાં ખાસ કરીને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.