કાલોલ: અલવા ગામમાં નિરાધાર દીકરીઓનો આધાર બની જન કલ્યાણ શિબિર,સ્થળ પર જ જાતિનો દાખલો કાઢી આપ્યો હતો
કાલોલ તાલુકાના અલવા ગામમાં યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં તાલુકા વહીવટી તંત્રએ માતા-પિતા વિહોણી બે નિરાધાર જોડિયા બહેનો રીટા બારીયા અને રીયા બારીયાને સ્થળ પર જ જાતિનો દાખલો કાઢી આપ્યો હતો. પેઢીનામાના અભાવે દાખલો ન મળતા બંનેના અભ્યાસનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું હતું. તાલુકા વિકાસ અધિકારી આર.પી. પ્રજાપતિની તાત્કાલિક કામગીરીથી હવે બંને બહેનોને શિષ્યવૃત્તિ સહિતની વિવિધ શૈક્ષણિક સહાયનો લાભ મળી શકશે.