Public App Logo
મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી ચાર બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળ દર્દીઓ નોંધાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની SSG હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને પીડિયાટ્રિક વોર્ડમાં 70 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ કરાયા છે. અત્યાર સુધી પાંચ બાળ દર્દીઓને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા હોવાનું અને એક બાળકનું મોત શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. હાલમાં બે બાળ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગેની માહિતી સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે આપી હતી. #ChandipuraVirus #HealthAlert #Gujarat #Vadodara #SSGHospital #PublicHealth #HumDekhengeNews - Ahmadabad City News