Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી ચાર બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળ દર્દીઓ નોંધાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની SSG હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને પીડિયાટ્રિક વોર્ડમાં 70 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ કરાયા છે. અત્યાર સુધી પાંચ બાળ દર્દીઓને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા હોવાનું અને એક બાળકનું મોત શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. હાલમાં બે બાળ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગેની માહિતી સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે આપી હતી. #ChandipuraVirus #HealthAlert #Gujarat #Vadodara #SSGHospital #PublicHealth #HumDekhengeNews

MORE NEWS

ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત, સુવ્યવસ્થિત અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. મેયર હિતેશભાઈ બારોટના અધ્યક્ષસ્થાને સમગ્ર આશરે 14 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટનું વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માર્ગોની સ્થિતિ, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, જર્જરિત મકાનો, આરોગ્ય સેવાઓ, ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તેમજ CCTV મોનિટરિંગ સહિતની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરીને સંબંધિત વિભાગોને બાકી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. રથયાત્રા રૂટ પર રોડ રીસરફેસિંગ, પેચવર્ક, ફૂટપાથનું સમારકામ, ડ્રેનેજ સફાઈ, વધારાની LED લાઇટ્સ, 97 CCTV કેમેરા, મેડિકલ ટીમો, એમ્બ્યુલન્સ, ફાયર વાહનો, સફાઈ કર્મચારીઓ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી મશીનરી સહિતની વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવી શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે.

#JagannathRathYatra #Ahmedabad #RathYatra2026 #GujaratNews #PublicSafety #HumDekhengeNews

ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત, સુવ્યવસ્થિત અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. મેયર હિતેશભાઈ બારોટના અધ્યક્ષસ્થાને સમગ્ર આશરે 14 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટનું વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માર્ગોની સ્થિતિ, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, જર્જરિત મકાનો, આરોગ્ય સેવાઓ, ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તેમજ CCTV મોનિટરિંગ સહિતની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરીને સંબંધિત વિભાગોને બાકી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. રથયાત્રા રૂટ પર રોડ રીસરફેસિંગ, પેચવર્ક, ફૂટપાથનું સમારકામ, ડ્રેનેજ સફાઈ, વધારાની LED લાઇટ્સ, 97 CCTV કેમેરા, મેડિકલ ટીમો, એમ્બ્યુલન્સ, ફાયર વાહનો, સફાઈ કર્મચારીઓ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી મશીનરી સહિતની વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવી શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે. #JagannathRathYatra #Ahmedabad #RathYatra2026 #GujaratNews #PublicSafety #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026