થાનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વધુ ગતિ મળી છે. શામજીભાઈ ચૌહાણના હસ્તે લાખામાચી–સરોડી રોડ અને મોળથરા–આણંદપર રોડ પર બે માઈનર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટથી લાખામાચી, સરોડી, મોળથરા અને આણંદપર ગામના લોકોને મોટી રાહત મળશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન જોખમી બનતા રસ્તાઓ હવે વધુ સુરક્ષિત અને સુગમ બનશે. કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા