થાનગઢના મોરથળા ગામે રહેતા અને પશુપાલક જગાભાઈ ભુરાભાઈ સાટીયાએ ગૌચર જમીન પર ખનન કરવા મનાઈ કરતા ઉશ્કેરાયેલા ખનિજ માફિયાઓએ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થયા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ મામલે ભીખાભાઈ ગેલાભાઈ સાટીયા, મફાભાઈ ગેલાભાઈ સાટીયા અને ગોપાલભાઈ ભીખાભાઈ સાટીયા સામે થાનગઢ પોલીસ મથકે ગુનો નોંધાઈ કાર્યવાહી હાથ ધરાઈ છે