ડભોઈમાં વીજ પોલ ધરાશાયી થતા દુર્ઘટના, 3 શ્રમિકોના મોત
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે વીજ પોલ ઊભા કરવાના કામ દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ખાનગી કંપની દ્વારા ચાલી રહેલા કામ દરમિયાન અચાનક વીજ પોલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. દુર્ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
#vadodaranew #electricpole #powerline #accident
Ahmadabad City, Ahmedabad | Jun 13, 2026