સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત 59 ઈ-વિહકલનું લોકાર્પણ પૂર્વ મંત્રી મુકેશ પટેલના| હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ગામના સરપંચોને વાહનોની ચાવીઓ સુપરત કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનની ચિંતાને ધ્યાનમાં રાખીને, સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામડાઓને સ્વચ્છ રાખવાના હેતુથી કુલ 200 ઈ-વિહકલ ફાળવવામાં આવ્યા છે. આ પૈકી 59 વાહનો ઓલપાડ તાલુકા માટે છે.