જેસર: રમેશભાઈ જીંજુવાડીયાની મહેનત રંગ લાવી, શાંતિનગર ગામના બે પરિવારોને મળ્યો આવાસ યોજનાનો લાભ.
રમેશભાઈ જીંજુવાડીયાની મહેનત રંગ લાવી, શાંતિનગર ગામના બે પરિવારોને મળ્યો આવાસ યોજનાનો લાભ. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામના રહેવાસી જીવનભાઈ મનજીભાઈ પીપળીયા વર્ષ ૨૦૨૦થી પોતાનું મકાન મંજૂર કરાવવા માટે સતત પ્રયત્નશીલ હતા. અનેકવાર રજૂઆતો કરવા છતાં તેમનું મકાન મંજૂર થતું નહોતું. આ દરમિયાન જીવનભાઈએ ગામના સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનોને પણ મળીને મદદ માગી હતી, પરંતુ તેમ છતાં કોઈ પરિણામ મળ્યું ન હતું. ત્યારબાદ શાંતિનગર ગામના રહીશ રાજુભાઈ