ભાવનગર શહેરના સસ્તા અનાજના દુકાનદારોએ શહેર પ્રમુખ સુરેન્દ્રસિંહ એમ વેગડની આગેવાનીમાં પુરવઠા નિગમના સિટી ગોડાઉન ખાતે રજૂઆત કરી હતી. વેપારીઓનો આક્ષેપ છે કે, નિયમ મુજબ પૈસા ભર્યાના 3 થી 4 દિવસમાં માલ મળી જવો જોઈએ, પરંતુ 22 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં લગભગ 40% દુકાનદારોને હજી સુધી માલ મળ્યો નથી, જેના કારણે ગ્રાહકોને સમયસર અનાજ આપી શકાતું નથી અને તેમની વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય છે.