આજરોજ ઉનાઈ માતા મંદિર પરિસર તેમજ દાંડી સ્મારક વિસ્તારની ખાણીપીણીની દુકાનોમાંથી ખોરાકના સેમ્પલો લેવામાં આવી તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જવાબદાર વિભાગ દ્વારા આ કાર્યવાહી ખાદ્યસુરક્ષા સુનિશ્ચિત કરવા તથા યાત્રાળુઓ અને પ્રવાસીઓના સ્વાસ્થ્ય રક્ષણના હેતુથી હાથ ધરવામાં આવી છે. સેમ્પલના રીપોર્ટના આધાર પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.