જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામ માં રહેતા અશોકભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયા તા. ૨૯ ને આશરે ૬:૩૦ વાગ્યા પહેલા પોતાના પુત્ર ઋત્વિક (ઉ.૧૬) ને સ્કુલ બસ માં જવા માટે ઠેબા ગામ પાસે મુકવા જતા હતા. ત્યારે ત્યારે પોતાના જ ગામના બસ સ્ટેન્ડ નજીક ના માર્ગે પહોંચતા અજાણ્યા વાહન ચાલકે તેમના બાઈક ને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં બાઇક ની પાછલી સીટ માં બેસેલા ઋત્વિક બાઈક માંથી ફંગોળાઈ ગયો હતો, અને માથા માં ગંભીર ઇજા થવાના કારણે તેનું મૃત્યુ થયું હતું.