ખેરાલુ: દેસાઈવાડા ચોરા ખાતે અર્બુદા સેના દ્વારા નવા સરપંચોનું સમ્માન કરાયું
6 જુલાઈના રોજ બપોરે 12 કલાકે ખેરાલુના દેસાઈ વાડા ચોરા ખાતે અર્બુદા સેના દ્વારા ચૌધરી સમાજના વિવિધ ગામોના નવા સરપંચોનું સમ્માન કરવામાં આવ્યું છે. સમ્માન માટે ખેરાલુ તેમ જ વિસનગર અને પાલનપુર તાલુકાના ગામોના પણ સરપંચો હાજર રહ્યા હતા.શિક્ષણ માટે બની રહેલ હોસ્ટેલમાં દાન આપવા પણ અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં અર્બુદા સેનાના મોઘજી ચૌધરી,ખેરાલુ કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈ, ખેરાલુના કોંગ્રેસ કૉર્પોરેટર અને ચૌધરી સમાજના લોકો હાજર રહ્યા હતા.