ધંધુકા: *67 વર્ષ બાદ બાજરડા ગામની ખારી નદીનો પ્રાણપ્રશ્ન દુર થતા ખેડૂતોમાં આનંદની લાગણી.#ધંધુકા #dhandhuka #amdavad #અમદાવાદ
*67 વર્ષ બાદ બાજરડા ગામની ખારી નદીનો પ્રાણપ્રશ્ન દુર થતા ખેડૂતોમાં આનંદની લાગણી.* ખેડૂતો માટેનો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન હોય તો એ ખારી નદીનો હતો. જે વર્તમાન તાલુકા પંચાયતના સદસ્ય નાસીરહુસેન સંઘરિયાત દ્વારા આ પ્રશ્નની રજૂઆત વર્ષ 2023/2024 માં નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ બાવળામાં રજૂઆત કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને વર્ષ 2025 માં ખારી નદીનો જંગલ કટીંગ નો ફેઝ -1 મંજુર કરવામાં આવેલ હતું જે બાજરડા ગામ થી ભોસાનાળા સુધીનું હતુ.