કાલોલ: તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રદ થયેલ લાભાર્થીઓનો સમાવેશ કરવાની તમામ સરપંચોની માંગ
આજરોજ બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કરવામાં આવેલા રી-સર્વેને લઈને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. સરપંચઓએ જણાવ્યું છે કે અગાઉ થયેલા સર્વે દરમિયાન અનેક ગામોમાં ખરેખર જરૂરિયાતમંદ પરિવારો વિવિધ કારણોસર સર્વેમાં સામેલ થઈ શક્યા ન હતા, જેના કારણે તેઓ સરકારની આવાસ યોજનાના લાભથી વંચિત રહ્યા છે.