*"મુસાફરને મંઝિલ નહીં, માર મળ્યો? ટ્રાવેલ્સની દાદાગીરીના આરોપે ઉઠ્યા સવાલો"*
શું હવે ટ્રાવેલ્સમાં ટિકિટ સાથે તમાચા પણ ફ્રી મળવા લાગ્યા છે?
અમદાવાદના *ઓઢવ રિંગ રોડ* નજીક આવેલા નિર્મિત સ્ક્વેર પાસે *AR શ્રીનાથ ટ્રાવેલ્સ* સામે ગંભીર આરોપો સામે આવ્યા છે. મુસાફરનો આરોપ છે કે તેમણે *કાનપુરથી બાવળા સુધીની* ટિકિટ લીધી હતી, પરંતુ તેમને રસ્તામાં જ ઓઢવ રિંગ રોડ પર ઉતારી દેવામાં આવ્યા.
જ્યારે મુસાફરે પોતાને બાવળા કેમ ન પહોંચાડ્યા તે અંગે પ્રશ્ન કર્યો, ત્યારે વાતચીતનો જવાબ શબ્દોથી નહીં પરંતુ મારપીટથી મળ્યો હોવાનો આરોપ છે.
પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે મુસાફરને *112 ઇમરજન્સી* સેવામાં ફોન કરીને પોલીસ બોલાવવાની ફરજ પડી.
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે *112 પોલીસ સ્થળ* પર પહોંચ્યા બાદ પણ ત્યાં હાજર એક વ્યક્તિના વર્તન પરથી એવું લાગતું હતું કે જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય.
હવે સવાલ એ છે કે મુસાફરોને સુરક્ષિત મુસાફરી આપવાની જવાબદારી કોની? જો ટિકિટ ખરીદનાર જ અસુરક�