થાનગઢ શહેરના પથિકાશ્રમ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતું જોવા મળી રહ્યું છે. અગાઉ ન્યાય મંદિર તરીકે ઓળખાતો અને અનેક કોમ્પ્લેક્સ તથા દુકાનો ધરાવતો આ વિસ્તાર આજે અવ્યવસ્થાના ભોગ બની રહ્યો છે. વેપારીઓ અને સ્થાનિક નાગરિકો ગંદકી, કચરાના ઢગલા અને દુર્ગંધથી પરેશાન બન્યા છે. સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે જાહેર આરોગ્ય માટે પણ જોખમ ઊભું થયું છે.