બોટાદથી પાળીયાદ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી #Jansamasya
Botad City, Botad | Sep 30, 2025
પાળીયાદ જવાના મુખ્ય ધોરીમાર્ગ પર મોટા મોટા ખાડા થી વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે.આ રસ્તા પરથી રાજકોટ સુરેન્દ્રનગર ધંધુકા સહિતના મુખ્ય મથકો પર જઈ શકાય છે. હજારો વાહનો અહીંથી પસાર થાય છે.પાળીયાદ એક સુપ્રસિદ્ધ યાત્રાધામ પણ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાઓની પણ અવરજવર રહેતી હોય છે.વરસાદી સિઝનમાં પાણી ભરાઈ જતા આ ખાડાઓ ભારે મુશ્કેલી ઉભી કરે છે,બિસ્માર રોડ રસ્તાને રીપેર કરવા લોકો માંગ કરી રહ્યા છે