પાળીયાદ જવાના મુખ્ય ધોરીમાર્ગ પર મોટા મોટા ખાડા થી વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે.આ રસ્તા પરથી રાજકોટ સુરેન્દ્રનગર ધંધુકા સહિતના મુખ્ય મથકો પર જઈ શકાય છે. હજારો વાહનો અહીંથી પસાર થાય છે.પાળીયાદ એક સુપ્રસિદ્ધ યાત્રાધામ પણ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાઓની પણ અવરજવર રહેતી હોય છે.વરસાદી સિઝનમાં પાણી ભરાઈ જતા આ ખાડાઓ ભારે મુશ્કેલી ઉભી કરે છે,બિસ્માર રોડ રસ્તાને રીપેર કરવા લોકો માંગ કરી રહ્યા છે