ગારિયાધાર: ગારિયાધારના સુરનગર ગામની દીકરી માયાબેન માવાણી બન્યા સુરતના નવા મેયર
ગારિયાધારના સુરનગર ગામની દીકરી માયાબેન માવાણી બન્યા સુરતના નવા મેયર ગારિયાધાર તાલુકાના સુરનગર ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. સુરનગર ગામના વતની માયાબેન માવાણીની સુરત શહેરના નવા મેયર તરીકે વરણી થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માયાબેન માવાણીએ જાહેર જીવનમાં સક્રિય રહી લોકોની સેવા માટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી છે. હવે સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે તેઓ શહેરના વિકાસ અને જનસેવાના નવા અધ્યાયની શરૂઆત કરશે.